- text
પોલીસે ડેડબોડીને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ અને મૃતકની ઓળખ મલેવવા તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ પુલ ઉપરથી આજે સવારે અજાણ્યા યુવાને મોતની છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને ડેડબોડીને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ અને મૃતકની ઓળખ મલેવવા તપાસ હાથ ધરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મયુરપુલ અને પાડાપુલના છેડે દરબારગઢ તરફ જવાના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી આજે સવારે એક અજાણ્યા યુવાને પડતું મૂક્યું હતું. આ અજાણ્યો યુવાને પુલ પરથી ઝાપલાવતા નીચે બેઠાપુલ પાસે મંદિર નીચે પડતા ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસે દોડી જઈને મૃતકની લાશ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે એ ડિવિઝનના પોલીસ જમાદાર પ્રવીણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હાલના તબબકે આ યુવાનની ઓળખ મેળવી તેવી કોઈ વિગતો તેની પાસેથી મળી નથી. પણ મૃતક શ્રમિક અને આશરે 30 થી 35 વર્ષનો હોવાનું અનુમાન છે. હાલ મૃતકની ઓળખ મેળવવા અને આ બનાવનું કારણ જાણવા તપાસ ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
- text
- text