- text
મોરબી : દિવાળીના પ્રકાશપર્વમાં વિધવાબહેનોના ઘરમાં પ્રકાશ ફેલાઈ તેવી ભાવના સાથે ચિત્રા હનુમાનજી ધૂન મંડળ તરફથી ખાખરાળાના બે બહેનો અને મોરબીના એક બહેન એમ કુલ ત્રણ બહેનોને અનાજની કીટ આપવામાં આવી હતી. આ સેવકાર્યમાં મંડળના સભ્યો ભીખાભાઈ લોરિયા, દામજીભાઈ વળાવિયા, ઓધાભાઈ ભાળજા તથા ભટજી અને પ્રમુખ ટી.સી. ફુલતરિયા જોડાયા હતા.
- text
- text