મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા

- text


રવાપર રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટમા ચટ મંગની પટ બ્યાહ

મોરબી : લગ્નમાં ઝાક ઝમાળના ખોટા ખર્ચ બંધ કરી સાદગીપૂર્ણ રીતે લગ્ન યોજવાની મોરબી પાટીદાર સમાજની ઘડિયા લગ્નની પહેલ સદબહાર બની છે ત્યારે આજે મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા અને સમાજના મોભી, મહાનુભાવોએ નવદંપતિને આશીર્વચન પાઠવ્યા હતા.

આજરોજ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે માળીયા તાલુકાના નવાગામના મૂળ વતની અને હાલ મોરબી રહેતા ઠાકરશીભાઈ ત્રિકુભાઇ ઓડિયાના સુપુત્ર ચિ. મયુરકુમારના શુભલગ્ન ચરાડવા નિવાસી માકાસણા જગદીશભાઈ વલામજીભાઈની સુપત્રી ચિ. ધરતીબેન સાથે યોજાયા હતા. આ શુભપ્રસંગે ઘડિયા લગ્નની પ્રેરણા આપનાર ઉમિયા સમૂહ લગ્ન સમિતિ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવદંપતિને શુભઆશિષ પાઠવ્યા હતા.

- text

- text