15મી ઓક્ટોબરે મોરબીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે

- text


મોરબી : મોરબી ખાતે આવતીકાલે 15 ઓક્ટોબરે સવારે 9 કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તથા ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગરીબોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ આપવાના હેતુથી ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.

- text

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

- text