- text
મોરબી : શહેરના વોર્ડ નંબર 11માં સતવારા સમાજના મહાકાલ ગ્રુપ આયોજિત શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં કોંગ્રેસના આગેવાનો હાજરી આપી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
માતાજીના છઠ્ઠા નોરતે સતવારા સમાજના આમંત્રણ થકી અગ્રણીઓએ માતાજીને પ્રાર્થના કરી પ્રજાની સુખ-શાંતિ અને સુખાકારી મળે અને તમામનુ આરોગ્ય સારું રહે એવી માતાજીને શીશ ઝુકાવી આરાધના કરી હતી. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, રમેશભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે આયોજકો દ્વારા તમામ આગેવાનોનુ સન્માન કરવામાં આવ્યુ હતું.
- text
- text