- text
પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયા દ્વારા કેરળ,હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના સુપૂતના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા
મોરબી : દેશની સરહદે મા ભોમની સુરક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરી દેનાર વીર શહીદ જવાનોના પરિવારજનોના લાભાર્થે મોરબીમાં આયોજિત નવરાત્રી મહોત્સવના ચોથા અને પાંચમા દિવસે આયોજક અજય લોરિયા દ્વારા કેરળ,હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના સુપૂતના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા હતા.
શહીદ જવાનોના લાભાર્થે મોરબીમાં આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ચોથા પાંચમા નોરતે (1) શહીદ જવાન વૈશાખ એચ – કેરલા (2)શહીદ જવાન સંજય પોપટભાઈ પટેલ – મહેસાણા (ગુજરાત)(3) શહીદ જવાન અશોક કુમાર – ઉત્તરપ્રદેશ અને (4)શહીદ જવાન તરૂણ ભારદ્વાજ – ગુડગાંવ (હરિયાણા) ના પરિવારોજનોને 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરી આયોજક અજય લોરિયાએ માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું.
- text
- text