- text
મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહનું પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને ડો. જગદીશ ત્રિવેદીની ઉપસ્થિતિ માં આયોજન કરાયું હતું.
પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને પ્રખ્યાત હાસ્ય કલાકાર ડૉ. જગદીશભાઈ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં તથા મોરબી પી. આઇ. મયંકભાઇ પંડ્યાની હાજરીમાં કરાયું હતું. જેમાં બ્રહ્મસમાજના 1000 થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ તકે મોરબી માં વસતા ભૂદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીની યાદી જણાવે છે.
- text
- text