લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાયો સરસ્વતી સન્માન સમારોહ

- text


મોરબીઃ ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવનમાં વિદ્યાર્થીઓને સત્કારવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં LKG અને UKG તથા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સન્માનિત કરાયા હતા. LKG, UKGના તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી જ્યારે ધોરણ 1 થી 8માં 1 થી 3 નંબર પ્રાપ્ત કરનારને ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. બાકીના દરેક વિદ્યાર્થીઓને થેલી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભૂપતભાઈ રવેશીયા, રમણીકબાઈ ચંડીભમર, ગીરીશભાઈ ઘેલાણી, દીપકભાઈ પોપટ, વિનુભાઈ ચગ, સમીરબાઈ પંડીત, મહેશભાઈ રાજા તથા લોહાણા સમિતિના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text

- text