રવાપરમાં રાષ્ટ્રભક્તિ સાથે દુંદાળાદેવની આરાધના

- text


મોરબી : ગણેશોત્સવ દરમિયાન વિવિધ સ્થળો પર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હોય છે.જુદી જુદી રીતે ગણેશ આરાધના કરવામાં આવતી હોય છે.ત્યારે વૈભવ લક્ષ્મી ગ્રુપ દ્વારા ગણેશની આરાધના સાથે સાથે દેશની શાન એવા રાષ્ટ્રધ્વજનું પણ સન્માન કરવામાં આવે છે.

વૈભવ લક્ષ્મી ગૃપ આયોજિત ગણેશ મહોત્સવ જે રવાપર ગામ ખાતે રાખેલ છે.તેમાં ગણેશજીની મૂર્તિના દર્શને આવતા દર્શનાર્થીઓને રાષ્ટ્રધ્વજ આપવામાં આવે છે.15 મી ઓગસ્ટ પછી જ્યાં ત્યાં રહેલા કે તૂટી ગયેલાં રાષ્ટ્રધ્વજને આ ગ્રુપના યુવાનોને આપે છે જે લોકો ક્રાંતિકારી સેના સુધી પહોંચાડશે.રોજ રાષ્ટ્રીય ગીતનું પણ ગાન કરવામાં આવે છે જેથી લોકોમાં અને બાળકોમા દેશ ભક્તિ જાગે..

- text

- text