મોરબી જલારામ મંદિરમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

- text


નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૮૫ દર્દીઓએ લાભ લીધો

મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવારના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ હતો જે ૧૮૫ દર્દીઓએ લાભ લીધો હતો. અત્યાર સુધીના ૧૩ કેમ્પમાં કુલ ૪૦૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.તમામ ખર્ચ સંસ્થા ઉઠાવે છે.

રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત આજરોજ તા.૪ને વિવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૧૮૫ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત ૮૦ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે.

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ મોરબી માળિયા મતવિસ્તાર ૬૫- વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૩૮૫૮ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૭૨૦ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૧૮૫ લોકોએ લાભ લીધો હતો તેમજ ૮૦ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામાં આવશે.

- text

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી,ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ પાંવ, ફીરોઝ ભાઈ તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮,હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

- text