મોરબીના અનેક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


સવારના ૮ થી બપોરના ૪ વાગ્યા સુધી વીજ વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી : મોરબી પીજીવીસીએલ દ્વારા મરામત કામગીરીને કારણે આવતીકાલે બુધવારે મોરબીના શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવા અંગે જાહેરાત કરી છે.

- text

આવતીકાલ તા.૨૪ને બુધવારનાં રોજ પીજીવીસીએલ મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર સવારે ૮ વાગ્યા થી બપોરના ૪ વાગ્યા સુધી લાઈનકામની કામગીરી કરવાની હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text