મોરબી આવતીકાલે વિનામૂલ્યે સુવર્ણપ્રાસન ટીપા પીવડાવાશે

- text


મોરબી : આવતીકાલ તારીખ 24 ઓગસ્ટને બુધવારના રોજ સાંજે 5:00 થી 8:00 વાગ્યા દરમિયાન મોરબી શહેરના ઉમા હોલ, રવાપર ગામના ઝાપે, રવાપર રોડ, મોરબી ખાતે 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાસનના ટીપા પીવડાવવામાં આવશે.

રવાપર ગામના દાતા હિરેનભાઈ પટેલ તેમજ ચંદ્રકાંતભાઈ કોઠીયા દ્વારા સુવર્ણપ્રાસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુવર્ણ પ્રાસનના ટીપા પીવડાવવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં, યાદશક્તિમાં વધારો થાય છે, વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે તેમજ આ ટીપા આયુર્વેદિક હોવાથી કોઈપણ જાતની આડઅસર થતી નથી.

- text

- text