મોરબીમાં 25 ઓગસ્ટે ‘ભારતના સ્વાધીનતા સંગ્રામમાં મહિલાઓની ભૂમિકા’ વિષય પર વક્તવ્ય યોજાશે

- text


મોરબી : મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અધ્યયન મંડળ (બૌદ્ધિક વિભાગ) દ્વારા આગામી તારીખ 25 ઓગસ્ટ 2022 ને ગુરુવારના રોજ રાત્રે 9-15 થી 10-15 કલાક દરમ્યાન OM VVIM કોલેજ, શનાળા રોડ, મોરબી ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં ‘ભારતના સ્વાધિનતા સંગ્રામમાં મહિલાઓની ભૂમિકા’ વિષય પર ભાવિશાબેન સરડવા વક્તવ્ય આપશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અધ્યયન મંડળ (બૌદ્ધિક વિભાગ) દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજજીવનને સ્પર્શતા વિવિધ વિષયોના બહુઆયામી અભ્યાસ માટે અધ્યયનશીલ લોકોને એકત્રિત કરી જે તે વિષયોના અધ્યયન, અનુસંધાન તથા સાહિત્ય નિર્માણ માટે અધ્યયન મંડળના નામથી પ્રયત્ન ચાલી રહ્યો છે. અધ્યયન મંડળની બેઠક આગામી 25 ઓગસ્ટે યોજાનાર હોય આ બેઠકમાં હાજરી આપવા સૌ કોઈને અધ્યેતા તરીકે હાજરી આપવા જિલ્લા કાર્યવાહક મહેશ બોપલિયાએ જણાવાયુ છે.

- text

- text