મોરબી BAPS મંદિરે આજથી ત્રિ-દિવસીય વિશિષ્ટ પ્રવચનમાળાનું આયોજન

- text


મોરબી : મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિરે આજે તારીખ 21 ઓગસ્ટ થી ત્રિ દિવસીય વિશિષ્ટ પ્રવચન માળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રવચનમાળામાં સંત વિવેકસાગર સ્વામી પોતાની વિદ્ધતાસભર અને રસાળ શૈલીમાં આધુનિક અભિગમથી મંદિર મહિમાનું અમૃતપાન કરાવનાર છે.

આ પ્રવચનમાળા તારીખ ૨૧-૮-૨૦રર રવિવાર થી ૨૩-૮-ર૦રર મંગળવાર સુધી રાત્રે ૮ થી ૧૦, પારાયણ પૂજન રાત્રે ૮ થી ૮:૩૦ સુધી BAPS સ્વામિનારાયણ મંદિર, ઝુલતા પુલની બાજુમાં, મોરબી-ર ખાતે યોજાઈ રહી છે.

- text

સાધુ હરિસ્મરણદાસ સ્વામીએ પ્રત્યેક પરિવારમાં પરિવર્તન લાવનાર આ વિશિષ્ટ પારાયણમાં પરિવાર -મિત્રજનો સહિત પધારવા સ્નેહભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે.

- text