હર ઘર તિરંગા હેઠળ વવાણીયા કન્યા શાળામાં યોજાઈ તિરંગા યાત્રા

- text


માળિયા(મી.) : વવાણીયા કન્યા શાળામાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ દ્વારા નારાઓ અને સૂત્રોત્ચાર કરવામાં આવ્યા હતા.

વવાણીયા કન્યા શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાનાં શિક્ષકો, આચાર્ય ઈશ્વરભાઇ સાવરિયા અને શાળાનાં હાજર તમામ વિદ્યાર્થીઓ દ્વારા વવાણીયા ગામની બજારોમાંથી રેલી દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવેલ હતી.

- text

વાલીઓ અને ગામનાં રહેવાસીઓને હર ઘર તિરંગા અંતર્ગત અવગત કરાવવામાં આવેલ હતા. વિવિધ સુત્રોરચાર અને નારાઓના નાદથી વવાણીયા ગામ ગુંજી ઊઠ્યું હતું.સમયાંતરે તિરંગા યાત્રા વવાણીયા કન્યા શાળાથી શરૂ કરી ગામની તમામ મુખ્ય શેરીઓ-બજારોમાં ફરી અંતે વવાણીયા કન્યા શાળાએ પૂર્ણ કરવામાં આવી હતી..

- text