મોરબીના બે પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી 

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા ડીસા મુકાયા : ટ્રાફિક પીઆઇ વી.બી.જાડેજા બઢતી સાથે નિમણૂકની રાહમાં 

મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સનદી અધિકારીઓની બદલી કરવાની સાથે રાજ્યના ત્રણ પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી આપી છે જેમાં મોરબીના એલસીબી પીઆઇ, ટ્રાફિક પીઆઇ ઉપરાંત એસીબી પીઆઇનો સમાવેશ કરાયો છે.

- text

ગૃહ વિભાગના અધિક સચિવ દ્વારા બઢતી બદલી અંગેના કરાયેલા હુકમ અન્વયે મોરબી એલસીબીમાં ફરજ બજાવતા પીઆઇ એમ.આર.ગોઢાણીયાને ડીવાયએસપી તરીકે બઢતી સાથે ડીસા મુકવામાં આવ્યા છે જયારે મોરબી ટ્રાફિક શાખાના પીઆઇ વી.બી.જાડેજાને ડીવાયએસપી તરીકે બઢતી આપી નિમણૂકની પ્રતીક્ષામાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એસીબી પીઆઇ બી.એસ.રબારીને બઢતી સાથે વડોદરા ખાતે મુકવામાં આવ્યા છે.

- text