મોરબી જલારામ મંદિર દ્વારા રવિવારથી રાહતદરે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિતે રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૪-૮ રવિવારથી શરૂ કરાશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ છે.

વિતરણ આગામી તા.૧૪-૮-૨૦૨૨ રવિવારથી શરૂ થશે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. સમાજનો દરેક વર્ગ તહેવારોની મજા માણી શકે તે હેતુસર પ્રતિવર્ષ મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવે છે, ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ વિવિધ મીઠાઈ તેમજ ફરસાણનુ વિતરણ રાહતદરે કરવામા આવશે.

- text

જે અંતર્ગત શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક,બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીતની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર, તીખી કેળા વેફર, ભાખરવડી, ફરસીપુરી, ચણાદાળ, ખાજલી, ખાખરા સહીતનુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે. તેમ મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા હરીશભાઈ રાજાએ યાદીમા જણાવ્યુ છે.

- text