- text
સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી, તહેવારોના સમયે લાઈટો ચાલુ કરવા માંગ
મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપરની સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી રાત્રે અંધારપટ સર્જાયો છે. સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી તહેવારોના સમયે લાઈટો ચાલુ કરવા માંગ ઉઠી છે.
મોરબીના શનાળા બાયપાસ ઉપર આનંદનગર પાસેની સોસાયટીમાં રહેતા જેનિસભાઈ કાનજીભાઈ રબારીએ જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ છે. થોડા સમય પહેલા તેમના વિસ્તારમાં ત્રણ ચાર થાંભલા નાખવામાં આવ્યા હતા અને લાઈટ એક બે દિવસ ચાલુ રહ્યા બાદ ગુલ થઈ ગઈ હતી. આ ઉપરાંત આ સોસાયટીના લોકોને બહાર જવાના માર્ગ ઉપર લાઈટ બંધ હોવાથી અંધારપટ્ટને કારણે રાત્રે અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે હમણાં જન્માષ્ટમી તહેવાર નજીક આવતો હોવાથી ઉજવણી માટે રોશની જરૂરી હોવાથી તેમની સોસાયટીમાં તંત્ર વહેલાસર સ્ટ્રીટલાઈટ ચાલુ કરે તેવી માંગ ઉઠાવી છે.
- text
- text