મોરબીમાં અનેક સ્થળેથી સીસીટીવી કેમેરા ગાયબ

- text


પોલીસની ત્રીસરી આંખ રૂપી સીસીટીવી કેમેરા જ નીકળી જતા ગુનાખોરી રોકવામાં મુશ્કેલી

મોરબી : સતત વિકસિત અને સીરામીક ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતા મોરબીમાં આજથી પાંચ વર્ષ અગાઉ સીરામીક ઉધોગકારો અને દાતાઓના સહયોગથી અઢી કરોડથી વધુને ખર્ચે સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે, લૂંટ, હત્યા સહિતના તમામ ગુના આચારીને ભાગતાં અપરાધીઓ શહેરમાં લગાવેલા સીસીટીવીમાં આબાદ કેદ થઈ જાય અને પોલીસને એ અપરાધી સુધી પહોંચવા માટે પગેરું મળે. આ હેતુ થોડા વર્ષોમાં નિષફળ ગયો છે. કારણે શહેરના મહત્વના પોઇન્ટ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરા નીકળી ગયા કે ગાયબ થઈ ગયા છે. પોલીસની ત્રીસરી આંખ રૂપી સીસીટીવી કેમેરા જ નીકળી જતા ગુનાખોરી રોકવામાં મુશ્કેલી પડે છે.

મોરબીમાં પાંચ વર્ષ પહેલાં મોટાભાગના મહત્વના તમામ રસ્તા તેમજ શહેર અંદર પ્રવેશ અને નીકળવાના મોટાભાગના માર્ગ ઉપર 100 થી વધુ સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા. તેનું મેઈન્ટસ માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ આપી આ સીસીટીવી કેમેરાનું એ ડિવિઝનમાં મોંનિટરિંગ થતું હોવાથી એ ડિવિઝન પોલીસ મથક સ્માર્ટ પોલીસ સ્ટેશન બન્યું હતું. જો કે ભૂતકાળમાં સીસીટીવી કેમેરા ગુનાખોરી રોકવામાં મહત્વના સાબિત થયા હતા. પણ છેલ્લા આઠ મહીનાથી શહેરના ઘણા બધા માર્ગો ઉપરના સીસીટીવી કેમેરા નીકળી ગયા છે કે ગુમ કરી દેવાયા છે એ તપાસનો વિષય છે. મહત્વના પોઇન્ટમાં ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, નવા બસ સ્ટેન્ડ, વિજય ટોકીઝ, સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે, રવાપર મેઈન રોડ ઉપર કેમેરા ગાયબ છે.

ઉપરના વિસ્તારો એકદમ ભીડભાડવાળા અને ભરચકક હોય અહિયાં ગુનો બને તો પોલીસને મોટી સફળતા મળતી . પણ ત્રીસરી આંખ જ કોઈકે ગાયબ કરી દીધી હોવાથી પોલીસે અપરાધીનું લોકેશન મેળવવામાં તકલીફ પડે છે. ઘણી જગ્યાએ એક બાજુ કેમેરા હોય અને બીજી બાજુ કેમેરા નીકળી ગયા છે. આથી ઉધોગકારોએ કરેલો કરોડોનો ખર્ચ હાલ પાણીમાં ગયો હોય એવું ચિત્ર ઉપસ્યું છે. જો કે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ પોલીસે જે નવા કેમેરા નાખ્યા છે એ જ બચ્યા છે.બાકી લોકભાગીદારી નાખેલા કેમેરાનું આયુષ્ય ઘટી ગયું કે ઘટાડી દેવામાં કોઈનો હાથ છે એ પણ વેધક સવાલ છે.

સીસીટીવી કેમેરા મામલે ડીવાયએસપી મુનાફખાન પઠાણે જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં નાખેલા સીસીટીવી કેમેરાનો કોન્ટ્રાકટ ત્રણ વર્ષનો હોય હવે કોન્ટ્રાકટ પૂરો થઈ ગયો છે. હવે નવા કોન્ટ્રાકટ માટે કાર્યવાહી ચાલુ છે અને નવો કોન્ટ્રાકટ થશે ત્યારે ફરીથી કેમેરા અને મેઈન્ટસ કરાશે.

બીજી તરફ ગુનાખોરી રોકવા માટે આજના યુગમાં ડીઝીટલ માધ્યમ અગત્યનું છે. તેથી ગુનાની અને અપરાધીની એક પછી એક કડી મેળવવા માટે અગત્યના એવા સીસીટીવી કેમેરા મહત્વના પોઇન્ટ ઉપર નથી છતાં કોઈએ કેમ નોંધ ન લીધી કે જવાબદારોએ કેમ કોઈ યોગ્ય કાર્યવાહી ન કરી ? તે બાબત ઘણી ગંભીર છે. હાલમાં જ એક કેસમાં ઉમિયા સર્કલે કેમેરા ન હોવાથી પોલીસને મદદ મળી ન હતી. તેથી શહેરના સામાજિક કાર્યકરો, નેતા, તંત્ર, અધિકારી સહિતના જવાબદારોની ચુપકીદી સાધી લેતા ફરીથી શહેરમાં બધા જ મહત્વના પોઇન્ટ ઉપર કેમેરા લાગશે કે કેમ ? તે સવાલ છે.

- text

 

- text