28 ઓગસ્ટ સુધી જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન પુનઃ સ્થાપિત કરાઇ

- text


મોરબી : તા.28 ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન પુનઃ સ્થાપિત કરાઇ છે.મુસાફરો ટ્રેન અંગે વધુ માહિતી વેબસાઈટ પરથી મેળવી શકશે.

- text

ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ જેને 28 ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારના રોજ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હતી. તે હવે તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ઉપરોક્ત બંને ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ દોડશે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text