મારા ખેતરમાંથી કેમ ચાલ્યો કહી, સગા નાનાભાઈએ મોટાભાઈને લાકડીઓ ફટકારી

- text


વાંકાનેર તાલુકાના વરડુસર ગામે બનેલી ઘટના

વાંકાનેર : હળાહળ કળિયુગના દર્શન કરાવતી ઘટનામાં વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ભયુભાગની જમીન બાજુબાજુમાં આવેલ હોય ખેતરમાંથી ચાલીને નીકળેલા મોટાભાઈને સગા નાનાભાઈએ લાકડીઓ ફટકારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા મનસુખભાઇ જાદુભાઇ નદાસીયા ગઈકાલે ભેરડા જવાના રસ્તે આવેલ તેમના ખેતરેથી પરત ફરતા હતા ત્યારે તેમના જ સગા નાનાભાઈ જયસુભાઇ જાદુભાઇ નદાસીયાએ તું મારા ખેતરમાંથી કેમ ચાલ્યો કહી લાકડી વડે માર મારતા મૂંઢ ઇજાઓ પહોંચતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,તથા જી.પી.એકટ.૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text