વાંકાનેર – લુણસર રોડ ઉપર બાઈક ચાલકને મોતને ઘાટ ઉતારનાર કાળમુખા આઈવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

- text


વાંકાનેર : વાંકાનેર લુણસર રોડ ઉપર ડબલ સવારી બાઇકને હડફેટે લઈ આશાસ્પદ યુવાનનું મોત નિપજાવનાર કાળમુખા આઈવા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર લુણસર રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા પરબતભાઈ ઉર્ફે મુનાભાઈ પ્રભુભાઈ કાંજીયા ઉ.37 અને પ્રવીણભાઈ કરમશીભાઈ સારલા, રહે. માટેલ વાળાને તા.6જુલાઈના રોજ બપોરના સમયે આઈવા ડમ્પર નંબર

જીજે-13-એડબલ્યુ-9642ના ચાલકે હડફેટે લેતા પરબતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પ્રવીણભાઈને ઇજાઓ પહોંચી હતી.

- text

અકસ્માતના આ બનાવ અંગે મૃતક પરબતભાઇના કાકા હરજીભાઈ બીજલભાઈ કાંજીયા, રહે. આણંદપર તા.વાંકાનેર જી.મોરબી વાળાએ આઈવા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(A)એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text