મોરબીમાં આવતીકાલે વ્યસનથી જકડાઈ ગયેલ મોં ખોલવાની સારવારનો કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા વ્યસનથી જકડાઈ ગયેલ મોં ખોલવાની સારવારનો કેમ્પ વિનામૂલ્યે યોજાશે.

કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા આવતીકાલે તા.૨૯ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ સને સાંજે ૪:૩૦ થી ૮ વાગ્યા સુધી વિનામૂલ્યે તમાકુ,ગુટખાને કારણે જકડાઈ ગયેલા મોં ખોલવાની સારવારનો નિદાન કેમ્પ શિવ કૉમ્પ્લેક્સ,બીજો માળ, સંતોષ સિલેકશનની બાજુમાં,સર્કિટ હાઉસ મેઈન રોડ, મોરબી-૨ ખાતે રાખવામાં આવ્યો છે.વધુ માહિતી માટે ડૉ.મિત્તલ રૈયાણી, મો.૯૭૨૭૮૪૧૧૦૭ પર સંપર્ક કરવો.

- text

- text