વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રમુખની પુત્રીના જન્મદિવસની વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ

- text


મોરબી : વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રમુખની પુત્રીના જન્મદિવસ નિમિતે વૃક્ષો વાવી તેના જતણનો સંકલ્પ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રમુખ પરેશ પારીઆ અને નંદીની પારીઆની પુત્રી ડ્રિસના પારીઆ આજે પાંચ વર્ષની ઉમર પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષ વાવી ઉજવણી કરવામાં આવી હતી.

પરસોતમ ચોક મોરબી ખાતે આવેલ રાધે-કૃષ્ણ અને શનિનીના મંદિર પટાંગણમાં ૫(પાંચ) વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ સમયે પરસોતમ ચોકના રહેવાસીઓ ઉપસ્થિત રહેલ હતા.ડ્રિસનાના માતા-પિતા પરેશ પારીઆ અને નંદીની પારીઆ દ્વારા દર વર્ષે વૃક્ષો વાવી તેનું જતન કરવામાં આવે છે.

- text

- text