મોરબી મચ્છુ કઠીયા સઈ-સુતાર જ્ઞાતિ દ્વારા રવિવારે મફ્ત ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

- text


મોરબી : મોરબી મચ્છુ કઠીયા સઈ-સુતાર જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજમા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આગામી તા.26ને રવિવારે વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે.નોટબૂક લેવા જતી સમયે માર્કશીટની ઝેરોક્ષ કોપી તથા જ્ઞાતિ વસ્તીપત્રક નંબર સાથે લાવવાના રહેશે.

મચ્છુ કઠીયા સઈ-સુતાર જ્ઞાતિના ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજમા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૬ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ કલાક અને બપોરે ૩ થી ૭ કલાકે દરજી જ્ઞાતિની વાડી,લખધીરવાસ ચોક,આયઁસમાજના મંદિર સામે,મોરબી ખાતે વિનામૂલ્યે નોટબુક તથા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે.દરેક વિદ્યાર્થીઓએ ફરજીયાત પોતાના માર્કશીટની ઝેરોક્ષ કોપી તથા જ્ઞાતિ વસ્તીપત્રક નંબર સાથે લાવવાના રહેશે.વધુ વિગતો માટે દિપકભાઈ રાઠોડ મો.98254 11882,હરીશભાઈ પરમાર મો.93275 50150 પર સંપર્ક કરવો.

- text

- text