મોરબીમાં પુલ ઉપરથી કૂદકો મારી યુવાને જિંદગી ટૂંકાવી

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા યુવાને ગઈકાલે અગમ્ય કારણોસર ગોલા બજાર નજીક પુલ ઉપરથી કૂદકો મારી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા યશપાલ રમેશભાઇ ચૌહાણ ખવાસ ઉ.23 નામના યુવાને મોરબી ગોલાબજાર વાળા પુલ ઉપરથી અગમ્ય કારણસર કુદકો મારતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text