મોરબી જિલ્લામાં ૨૬ જૂને લોક અદાલતનું આયોજન

- text


મોરબી : મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે મોરબી જિલ્લા ન્યાયાલય તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા(મી) ખાતે આગામી તારીખ 26/6/2022ના રોજ લોક અદાલતનું કરવામાં આવ્યું છે.

આ લોક અદાલતમાં અકસ્માતને લગતા કેસો, લગ્ન સંબંધિત ફેમિલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, મજૂર અદાલતના કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના, બેંકના, વિજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મૂકી શકાશે. વધુ જાણકારી માટે પક્ષકારોએ જેતે અદાલતમાં અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

- text

- text