હળવદ નજીક ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત

- text


મયુરરાજ ટ્રાવેલ્સની મોરબીથી સુરેન્દ્રનગર જતી બસને ગઇકાલે નડ્યો હતો અકસ્માત

હળવદ: રવિવારે બપોરે હળવદ નજીક હાઇવે પર કવાડિયા ગામના પાટિયા નજીક મોરબીથી સુરેન્દ્રનગર જતી ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર સહિત 10 જેટલા લોકોને ઇજા પોહચી હતી જેમાં સારવારમાં રહેલ ટ્રાવેલ્સના ડ્રાઈવરનુ આજે મોત નિપજ્યું છે.

હળવદ હાઈવે પર ગય કાલે રવિવારે બપોરના સમયે મોરબીથી સુરેન્દ્રનગર જતી મયુરરાજ ટ્રાવેલ્સની બસ અને ટ્રેઇલર વચ્ચે અમદાવાદ- હળવદ હાઇ-વે પર કવાડિયા ગામના પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસને ભારે નુકશાન થયું હતું. અને બસમાં સવાર ડ્રાઈવર સહિત 10 મુસાફરોને નાના-મોટી ઇજાઓ પોહચી હતી

- text

જ્યારે આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી ડ્રાઇવર પ્રદિપભાઈ ઉર્ફે પદુભાઈ લાલજીભાઈ પરમાર ઉ.55 રહે. ધ્રાંગધ્રા ને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે સારવાર દરમ્યાન પ્રદિપભાઈનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

- text