મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે જીલ્લા પંચાયત મોરબી કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાનેથી પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીનું સીમલા ખાતેથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના પ્રોગ્રામનું જીવંત પ્રસારણ આ કેન્દ્ર ખાતેથી ખેડૂતોને બતાવવામાં આવ્યું હતું. તેમજ આ પ્રોગ્રામમાં પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન દાઝીબાપુ દ્વારા આપવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમ જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દલસાણીયાભાઈના સંકલનથી યોજવામાં આવ્યુ હતું. આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન આ કેન્દ્રના ઇન્ચાર્જ ડી.એ.સરડવા અને નિલેશભાઈ વાધડિયા દ્વારા કરવામાં આવ્યુ હતું.

- text