મોરબીના જલારામ મંદિરે નિઃશુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે

- text


4 જૂને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ ડેથરીયાના સહયોગથી કેમ્પ યોજાશે 

મોરબીઃ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ચોથી તારીખે મોરબી શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના સગયોગથી આગામી તા. ૪-૬-૨૦૨૨ ને શનિવારના રોજ નિઃશુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.

આ કેમ્પ 4 જૂને સવારે ૯ થી ૧ કલાક દરમિયાન યોજાશે. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા આવશે. દર મહિનાની ચોથી તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પનો લાભ લેવા આવતા દર્દીએ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (મો.નં.- ૯૮૨૫૦૮૨૪૬૮), હરીશભાઈ રાજા (મો.નં.- ૯૮૭૯૨૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (મો.નં.- ૯૯૯૮૮૮૦૫૮૮), અનિલભાઈ સોમૈયા (મો.નં.-૮૫૧૧૦૬૦૦૬૬) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

મહત્વનું છે કે, ઉલ્લેખનીય છે કે ગત ૯ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ ૩૨૬૭ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૧૪૭૩ લોકો ના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

- text