મોરબીમાં બુદ્ધ અનુયાયીઓ દ્વારા બુદ્ધપૂર્ણિમા ઉજવાઈ

- text


ડો. આંબેડકરની પ્રતિમાને હારતોરા અને બુદ્ધવંદના કરાઈ

મોરબી : મોરબીમાં ગઈકાલે ગૌતમ બુદ્ધની ૨૫૬૬મી જન્મજયંતી નિમિત્તે બુદ્ધ અનુયાયીઓ દ્વારા બાબા આંબેડકરની પ્રતિમાએ હારતોરા કરી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ સાંજે બુદ્ધ વંદના અને દિપ પ્રાગટ્ય કરી વૈશાખી બુદ્ધ પૂર્ણિમા ઉજવી હતી.

તથાગત ગૌતમ બુદ્ધની ૨૫૬૬મી જન્મ જયંતી નિમિત્તે ગઈકાલે બુદ્ધ અનુયાયીઓ દ્વારા સવારે નવ કલાકે મોરબી નગર પાલિકા,સિવિલ હોસ્પિટલ સામે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ હારતોરા કરી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ હતી.તે દરમ્યાન દરેક ઉપાસક સહ પરિવાર સાથે હાજરી આપેલ હતી. બીજો કાર્યક્રમ સાંજે ૫ કલાકે બૌધ્ધ-વિહાર,વિજયનગર,મોરબી ખાતે બુદ્ધ વંદના અને દિપ પ્રાગટ્ય કરી વૈશાખી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બુદ્ધ અનુયાયીઓએ સફેદ વસ્ત્રોમાં હાજરી આપી હતી.

- text

- text