આમ આદમી પાર્ટીના મોરબી માળીયા વિધાનસભા બેઠકના સક્રિય કાર્યકતાઓની મીટિંગ યોજાઈ

- text


મોરબીમાં આગામી ૨૭ અને ૨૮ તારીખે આવશે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા

મોરબી : ગુજરાતમાં તમામ પાર્ટીઓ આગામી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા સીટ અંગે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી માળીયા વિધાનસભાના સ્ક્રીય કાર્યકતાઓની આજ રોજ ઉમા રિસોર્ટ, કંડલા બાયપાસ, આર.ટી.ઓ.ઓફિસ સામે મીટિંગ યોજાઈ હતી. જેમાં મોરબી માળીયા વિધાનસભા સીટ નીચે આવતા તમામ હોદેદારો અને સક્રિય કાર્યકતાઓએ હાજરી આપી હતી.

આ મીટિંગ શિવાજીભાઈ ડાંગર-(ગુજરાત પ્રદેશ સંગઠન સહ મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી) અને વસંતભાઈ ગોરીયા-(મોરબી જિલ્લા પ્રમુખ અને મોરબી માળીયા વિધાનસભા પ્રભારી)ની આગેવાનીમાં યોજાઈ હતી. આજની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર ૨૦ દિવસમાં ગામડા બેઠક અને ગામડાઓમાં જનસંવાદ શરૂ કરવા અંગે ટ્રેનિંગ આપવાનો હતો. તેમજ આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં ફરી રહેલી પરિવર્તન યાત્રા આગામી તારીખ ૨૭ અને ૨૮ મેના રોજ મોરબી ખાતે આવી રહી છે તે દરમિયાન થનાર કાર્યક્રમોની ચર્ચાઓ કરવામાં આવી.

આ મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હીથી પધારેલ સૌરવ પાંડે-LPOC કચ્છ-મોરબી ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના સક્રિય કાર્યકતાઓમાંથી ૭ ટીમો બનાવી આગામી ૧૦ દિવસમાં ૭૦ ગામોમાં તમામ ઘરો સુધી આમ આદમી પાર્ટીએ પહોંચવાનો નિશ્ચય કર્યો છે.

- text

- text