મહેન્દ્રનગરના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાનો પાટોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો 18મો પાટોત્સવ નિમિતે યજ્ઞ,મહાપ્રસાદ,ધ્વજારોપણ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં આગેવાનો અને અગ્રણીઓ જોડાયા હતા.

રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 18મા પાટોત્સવ નિમિતે યજ્ઞ,મહાપ્રસાદ,ધ્વજારોપણ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે ગોવિંદભાઇ પટેલ,જ્યંતિભાઈ શેરસીયા,કેતનભાઈ બોપલીયા,પ્રવીણભાઈ પટેલ વગેરે જોડાયા હતા. ધુનમંડળના ભુદરભાઈ બેચરવાળા,દેવકરણભાઇ,દિલીપભાઈ,કેશુભાઈ,ખીમજીબાપા,દલસુખભાઈ વગેરે તેમજ ભક્તોએ જહેમત ઉઠાવી હતી. મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં આચાર્ય સ્થાને અતુલભાઈ જાનીએ ધાર્મિક કાર્યો પૂર્ણ કર્યા હતા. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.

- text

- text