પાકના વાવેતર માટે ડેમી-1ની કેનાલમાંથી પાણી છોડવા માંગ

- text


ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતોની કાર્યપાલક ઇજનેરને રજૂઆત

ટંકારા : ચોમાસુ પાકના વેવાતર માટે મીતાણા ડેમી-1ની કેનાલમાંથી છોડવા ખેડૂતોએ માંગણી કરી છે.જેને ધ્યાને રાખી ટંકારા તાલુકાના ગામડાઓના સરપંચોએ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે.

ડેમી-1 મીતાણામાં રહેલ પાણી ખેડૂત ખાતેદારોને ચોમાસું ઋતુના આગોતરા વાવેતર માટે તા.20/05ના સમયમાં પાણી આપી ખેડૂત ખાતેદારોને મદદરૂપ થવા તેમજ ખેડૂતોની માંગણી પૂર્ણ કરવા નાનાખીજડીયા ગ્રામ પંચાયત,કલ્યાણ ગ્રામ પંચાયત,લખધીરગઢ ગ્રામ પંચાયત,જબલપુર ગ્રામ પંચાયત,સમરસ ગ્રામ પંચાયત અને સરાવા ગ્રામ પંચાયતના સરપંચોએ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી છે.

- text

- text