માળીયાના મોટાભેલાથી સરવડ સુધીના અત્યંત બિસ્માર રોડનું કામ સત્વરે ચાલુ કરવા માંગ

- text


 

માળીયા: માળીયા તાલુકાના ભાવપરથી સરવડ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હોય આ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી છે. આ રસ્તાનું કામ માત્ર ત્રણ કિલોમીટર સુધીનું થયેલું છે. બાકીનું કામ છેલ્લા વીસેક દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે. આ કામ તારીખ 8/4/ 20202 થી તારીખ 16/4/2022 સુધી રાખેલ હોય ત્યારે માત્ર આ દિવસોમાં ભાવપર સુધીનો માત્ર ત્રણ કિલોમીટરનો રસ્તો રીપેર થયો છે. બાકીના માર્ગનું કામ બાકી છે. ત્યારે મોટાભેલા થી સરવડ સુધીના રોડનું કામ સત્વરે ચાલુ કરવા મુસાફરો દ્વારા માંગ ઉઠી છે.

- text

આ રસ્તા અંગે અનેક વખત અધિકારીઓ સાથે વાતચીત થઈ હતી પરંતુ તેમ છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું મુસાફરો જણાવી રહ્યા છે. પાંચ દિવસની અંદર રોડનું કામ ચાલુ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

- text