મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


 

સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓને ભાવતા ભોજન કરાવાયા

મોરબીઃ શહેરમાં આવેલી શ્રી કપોરીવાડી પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. જેમાં ગીત, નાટક અને નૃત્યની રજુઆત કરવામાં આવી હતી.

આ સાથે શાળાના ભૂતપૂર્વ આચાર્ય ધનજીભાઈ કાલરીયા સાહેબ તરફથી ધોરણ ૧ થી ૮ના તમામ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ પોતાના આઠ વર્ષના આ શાળાના અભ્યાસકાળ દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા. તેમજ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ તેમજ જીવનમાં પ્રગતિ કરી શાળા પરિવારનું નામ રોશન કરો તેવા શુભાશિષ પાઠવ્યા હતા.

- text

ત્યારબાદ વિદ્યાર્થીઓને ભાવતા ભોજન કરાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સુનિલભાઈ જોશી, તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. ડોક્યુમેન્ટસ કાર્ય નરેશભાઈએ સંભાળ્યું હતું.

- text