હડમતિયા કન્યા તાલુકા શાળાના આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

- text


મનહરભાઈ ફૂલતરીયાને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં છેલ્લા 21 વર્ષથી કન્યા તાલુકા પેમેન્ટ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનહરભાઈ ફુલતરીયા વયમર્યાદાના કારણે નિવૃત થતા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.

આચાર્ય મનહરભાઈ ફુલતરીયા અને શિક્ષકગણ દ્વારા શાળાના બાળકોને જમાડાયા હતા. ત્યારબાદ આચાર્યનો સન્માન સમારોહ આગળ ધપાવી ગામના નવ યુવાનોના આદર્શ આગેવાન ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, નિવૃત જીલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલીમ ભવનના પ્રાચાર્ય એરવાડીયા, શિક્ષણસંઘના શૈલેષભાઈ સાણજા, એસ.એમ.સી. અધ્યક્ષ, પંચાયત સદસ્યો અને ગામના સામાજિક કાર્યકર તેમજ પુર્વ એસએમસી અધ્યક્ષ રમેશ ખાખરીયા દ્વારા મનહરભાઈ ફુલતરીયાને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સન્માન સમારોહમાં કુમાર શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના આચાર્ય તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા. ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા અને નિવૃત જીલ્લા શિક્ષણ અધિકારી એરવાડીયા દ્વારા શબ્દોથી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ મનહરભાઈ ફુલતરીયાને ભીની આંખે વિદાય આપવામાં આવી હતી.

- text

- text