પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિયુક્તિ

- text


શોભાયાત્રા, મહાઆરતી, અન્નકોટ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ દાદાના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે નીરજભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી હતી. તેમજ પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રોહિતભાઈ પંડ્યાની નિમણૂક થઈ હતી.

ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિતે પરશુરામ યુવા ગ્રુપ-મોરબીના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોરબીના ભુદેવો બહોળી સખ્યામાં જોડાયા હતા.

ભગવાન પરશુરામની શોભાયાત્રા ગાયત્રી મંદિર વાઘપરાથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગ પર થઈને પરશુરામ ધામ,નવલખી રોડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. પરશુરામ ધામ ખાતે મહાઆરતી તેમજ અન્નકોટદર્શન કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નીરજભાઈ ભટ્ટની સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લાના મહામંત્રી તરીકે વરણી કરવામા આવી હતી. તેમજ પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારની વરણી કરવામાં આવી હતી. પરશુરામ યુવા ગ્રુપના નવા પ્રમુખ તરીકે રોહિતભાઈ પંડ્યા,
મહામંત્રી તરીકે કમલભાઈ દવે, ધ્વનિતભાઈ દવેની વરણી કરવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહયા હતા. ડો ભાડેશિયા, ડો યોગેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ કે કે પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાજપના જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ પનારા અને તેની ટીમ તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,શિવસેના, રાજપૂત કર્ણીસેના તેમજ અન્ય બિન રાજકિય સંગઠનો સાથે બ્રહ્મસમાજ આગેવાન પરશુરામ ધામ પ્રમુખ ભુપત ભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મેહતા, નલિનભાઈ ભટ્ટ, બી.કે.લેહરુ,જગદીશભાઈ ઓઝા, કિરણબેન ઠાકર, નિલાબેન પંડિત દર્શનાબેન ભટ્ટ, પારુલબેન ત્રિવેદી, કિશોરભાઈ શુક્લ, નરેન્દ્રભાઈ મેહતા, અને બ્રહ્મસમાજની તમામ પાંખના હોદ્દેદારો સાથે પત્રકાર એસોસિએશનના પ્રમુખ અતુલ ભાઈ જોશી તેમજ બ્રહ્મસમાજના આગેવાનો જોડાયા હતા.

આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સ્થળે બ્રહ્મબંધુ માટે તમામ જ્ઞાતિ સંગઠન દ્વારા ઠંડાપીણાં તેમજ લચ્છીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંપૂર્ણ તેમજ સફળ સંચાલન બ્રહ્મસમાજ જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરાયું હતું.

- text