મોરબીમાં ચાર કલાકમાં ચોરાઉ બાઈક શોધી કાઢતી પોલીસ

- text


રફાળેશ્વર નજીકથી ચોરાયેલ બાઈક અંગે તાલુકા સાંજે 6.30 કલાકે ફરિયાદ નોંધાઈ અને 10 વાગ્યે બાઈક રેઢું મળી આવ્યું

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર મહાદેવ મંદિર નજીકથી તા.17 એપ્રિલના રોજ ચોરાયેલ બાઈક અંગે ગઈકાલે સાંજે 6.30 વાગ્યે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ રાત્રે 10 વાગ્યે આ બાઈક રેઢી હાલતમાં મળી આવતા પોલીસે કબ્જે લીધું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર નજીકથી ભુરાલાલ પ્રભુભાઈ પરમાારનું 20 હજારનું બજાજ કંપનીનું બાઈક કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.17 એપ્રિલના રોજ ચોરી જતા ભૂરાલાલ દ્વારા ઘરમેળે તપાસ કરવા છતાં ન મળી આવતા આખરે ગઈકાલે સાંજે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

બીજી તરફ પોલીસ ફરિયાદ બાદ જાદુ થયું હોય તેમ રાત્રીના 10 વાગ્યે રફાળેશ્વર ચોકડી નજીકથી મોરબી તાલુકા પોલીસને ઉપરોક્ત ચોરાયેલ બાઈક રેઢી હાલતમાં મળી આવતા બિનવારસી બાઈક કબ્જે લેવામાં આવ્યું હતું.

- text