મોરબી જિલ્લા એસ.સી., એસ.ટી. કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારી મંડળ દ્વારા કોઈપણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓનું સ્નેહમિલન યોજાયું હતું.તેમજ લોકોમાં શિક્ષણનો વ્યાપ વધે તથા દુષણો અને કુરિવાજોથી દૂર રહેવા જણાવેલ હતું.

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારી મંડળ દ્વારા સમાજના કોઈપણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓનું સ્નેહમિલન યોજાયું હતું.જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ,અધિકારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના લોકોમાં શિક્ષણનો વ્યાપ,દુષણો અને કુરિવાજોથી દૂર રહે તે માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.હાલ એક કર્મચારીનું અકાળે નાની ઉંમરમાં અવસાન થયું હતું તેમના બાળકો અને પરિવારજનોના ભવિષ્ય માટે મદદ માટેની અપીલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ વિભાગના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

- text

 

- text