- text
મોરબી : મોરબી સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા નિરાધાર વૃદ્ધની આજે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
મોરબીમાં ગત તા.5ના રોજ તળાવમાં ડૂબી જતા એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. 4 દિવસ બાદ પણ આ વૃદ્ધના વાલી વારસ મળ્યા ન હતા. જેથી મોરબી સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા આજે આ વૃદ્ધની હિન્દૂ વિધિથી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
- text
- text