પત્ની સાથે બોલાચાલી બાદ લાગી આવતા ખેતશ્રમિકનો આપઘાત

- text


માળીયા તાલુકાના ઘાટીલા ગામની સીમમાં બનેલ બનાવ

માળીયા : માળીયા તાલુકાના વેજલપર અને ઘાટીલા ગામની સીમમાં રહી ખેતમજૂરી કરતા યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી પત્ની સાથે બોલાચાલી થયા બાદ લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વેજલપરથી ઘાટીલા ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુરના વતની ગોરધનભાઈ દિવાલીયાભાઈ નાયક, ઉં.20ને હાલમાં કામ ધંધો ચાલતો ના હોય જેથી તેની પત્ની સાથે કામ ધંધા બાબતે સામાન્ય બોલાચાલી થતા લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text