વાંકાનેરના ધમલપરમાં રણછોડદાસ બાપુની પુણ્યતિથી નિમિત્તે શુક્રવારે લઘુરુદ્ર યજ્ઞ અને સંતવાણી

- text


વાંકાનેર : વાંકાનેરના ધમલપરમાં રણછોડદાસ બાપુની પુણ્યતિથી નિમિત્તે શુક્રવારે લઘુરુદ્ર યજ્ઞ અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં જોગજતી ગ્રુપ દ્વારા રણછોડદાસ બાપુની 36મી પુણ્યતિથી નિમિત્તે આગામી તા. 4ને શુક્રવારે સવારે 8 કલાકે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, સાંજે 4 કલાકે બીડુ હોમાશે, સાંજે 6 કલાકે પ્રસાદ અને રાત્રે 10 કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણીના કાર્યક્રમમાં દલસુખભાઈ પ્રજાપતિ, અરજણભાઈ મોરવાડીયા અને ભાવેશ પટેલ ભજનો રજૂ કરશે. સમગ્ર આયોજન રામ ટેકરી, જોગજતી હનુમાનની ગુફાની જગ્યા, ધમલપર-2 ખાતે યોજાશે.

- text