મોરબીની પી. જી. પટેલ કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ સ્કિલ અંગે પણ જરૂરી ટીપ્સ અપાઈ

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમા પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજરોજ આંતરરાષ્ટ્રીય ટ્રેનર પ્રિતી ઝવેરી દ્રારા કારકિર્દી માર્ગદર્શન માટે નો વિશેષ સેમિનાર “A Key To Success”નુ આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સેમિનારમા મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ જોડાયા હતા. સેમિનારમા આંતરરાષ્ટ્રીય ટ્રેનર પ્રિતી ઝવેરી દ્રારા યોગ્ય દીશામાં,સમયબદ્ધ આયોજન,પધ્ધતિસરની મહેનત કરવાથી ઈરછીત કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તે અંગે ખુબજ રસપ્રદ છણાવટ કરીને વિધાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત ઇન્ટરવ્યુ સ્કિલ અંગે પણ જરૂરી ટીપ્સ આપી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text