મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બાઈક હડફેટે વૃદ્ધનું મોત

- text


અકસ્માત સર્જી નાસી છૂટેલા બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી : મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી નજીક સાત દિવસ પૂર્વે પગપાળા જઈ રહેલા વૃદ્ધને બાઈક ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા જતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અકસ્માત સર્જી નાસી છૂટેલા બાઈક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.14 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે મહેન્દ્રનગર ચોકડી નજીક પગપાળા જઈ રહેલા મગનભાઈ નરસીભાઈ સંઘાણી ઉ.69ને બાઈક નંબર જીજે – ૩૬ – જે – ૫૫૦૯ ના ચાલકે હડફેટે લેતા મગનભાઈને બન્ને પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બીજી તરફ આ ગંભીર અકસ્માત સર્જી બાઈક ચાલક નાસી છૂટ્યો હતો. ઘટના અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં મૃતક મગનભાઈના પુત્ર ઉપેન્દ્રભાઇ મગનભાઇ સંઘાણી, રહે. પ્રભુ કૃપા ટાઉનશીપ ફોર સ્કેવર-ર ફલેટ નં-૨૦૧ મુળગામ- લક્ષ્મીવાસ વાળાએ બાઈક નંબરના આધારે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text