- text
મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં વડાવિયા પરિવાર દ્વારા સોમવારે બહુચરાજી માતાના મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાખરાળા ગામમાં બચુભાઈ દેવજીભાઈ વડાવિયા પરિવાર દ્વારા તેમના કુળદેવી બહુચરાજી માતાના મંદિર ખાતે આગામી તા. 21ને સોમવારે વીસમો પાટોત્સવ છે. જેમાં સવારે 8 કલાકે યજ્ઞ અને બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાકાળને લીધે વડાવિયા કુટુંબના ઘર દીઠ એક સભ્યે ઉપસ્થિત રહેવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text