મોરબીમાં સોરઠીયા લુહાર દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાઈ 

- text


મોરબી : મોરબીમાં સોરઠીયા લુહાર દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.આરતી,સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.તથા સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સોરઠીયા લુહાર મોરબી દ્વારા ગત તા.૧૪ને સોમવારના રોજ વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન વિશ્વકર્માની જયંતી નિમિતે મોરબીના સમસ્ત સોરઠીયા લુહાર સમાજ દ્વારા મહાઆરતી,મહાસત્સંગ તથા સમૂહ પ્રસાદનું આયોજન કરી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરી હતી.મહિલા મંડળે પ્રભુ ભક્તિ માટે સત્સંગ કર્યો હતો.ત્યારબાદ જ્ઞાતિજનોએ ભગવાન વિશ્વકર્માની મહાઆરતી કરી હતી.સોરઠીયા લુહાર મોરબીના ટ્રસ્ટીઓ હરેશભાઇ પીઠવા,અતુલભાઈ મકવાણા,રાજેન્દ્રભાઇ સિદ્ધપુરા,મુકેશભાઈ પીઠવા,જગદીશભાઈ પરમાર,વિનોદભાઈ વારા,ભરતભાઇ પીઠવા તથા યુવક મંડળ અને મહિલા મંડળે સેવા આપી આ ભગીરથ કાર્ય પરિપૂર્ણ કર્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text