મોરબીના યુવા આગેવાન દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : મોરબી યુવા ભાજપના કારોબારી સદસ્ય અને રાજપૂત સમાજના કારોબારી સદસ્યએ જન્મદિવસ પ્રેરણાદાયી રીતે ઉજવ્યો હતો.

- text

મોરબી યુવા ભાજપના કારોબારી સદસ્ય અને રાજપૂત સમાજના કારોબારી સદસ્ય તેમજ વોડાફોન આઈડિયા અને જી.ટી.પી.એલ. કેબલ નેટવર્કના સંચાલક અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજાનો ગત તા. 11ના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિતે તેઓએ વ્યર્થ ખર્ચ કરવાને બદલે સેવાકીય કાર્ય કર્યું હતું. ગાયોને ઘાસચારો ખવડાવ્યો હતો તેમજ વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું. આ ઉપરાંત, તેઓ રક્તદાન કરી સમાજને ઉપયોગી બન્યા હતા. આમ, સેવાકીય કાર્ય કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text