ટંકારાના ગામોના સરપંચો સાથે થાણા અધિકારીએ સંવાદ કર્યો

- text


ચોરીના બનાવો રોકવા, મજુરોની ઓળખ રાખવા સહિતની સુચનાઓ આપી

ટંકારા : ટંકારા તાલુકાના તમામ ગામના સરપંચો સાથે થાણા અધિકારીનો સંવાદ યોજાયો હતો. નવનિયુક્ત સરપંચોને ફોજદાર એસ. એમ. રાણાએ ગામમાં ચોરીના બનાવો રોકવા ઉપરાંત માઈગ્રેડ ખેત અને ફેક્ટરીના મજુરોની ઓળખ રાખવા સહિતની સુચના આપી હતી. સાથે નાઈટ પેટ્રોલીંગ રક્ષક દળના જવાનો વિશે માહિતીની આપલે કરી હતી.

- text

ટંકારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શક્તિસિંહ એમ. રાણાની અધ્યક્ષતામાં ટંકારા તાલુકાના નવા ચુંટાયેલા સરપંચ અને હોદ્દેદારોની બેઠક બોલાવી હતી. જેમા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગામમાં ખેતી તેમજ અન્ય મજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક વર્ગની ઓળખ રાખવા ઉપરાંત ચોરીના બનાવો રોકવા આગોતરા પગલાં ઉપર ચર્ચા કરી સંપ, સહકાર, સલામતી અને શાંતિ માટે પોલીસ તત્પર છે, તેવો ખોંખારો ખાઈને વિશ્વાસ આપ્યો હતો. સાથે આગેવાનો દ્વારા આવેલ સુચનો પણ સાંભળી નિકાલ માટે ખાત્રી આપી હતી.

- text