રવિવારે સિનિયર સીટીઝનો માટે સંગીત કાર્યક્રમ

- text


મોરબી : મોરબી સિનિયર સિટિઝન દ્વારા આગામી તા.6/2/2022ને રવિવારના રોજ સવારે 10 થી 12:30 કલાક દરમ્યાન ગુજરાતના પ્રસિદ્ધ નૌશાદભાઈ ગુલામભાઈ મીરનો સંગીત કાર્યક્રમ શનાળા રોડ, ધન્વંતરી ભવન, કાયાજી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો છે. તો સિનિયર સિટીઝન કાઉન્સિલના દરેક સભ્યોને આ કાર્યક્રમમાં હાજરી આપવા તથા કાર્યક્રમ બાદ ભોજન સમારંભમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.

- text